Showing posts with label Best Gujhealth. Show all posts
Showing posts with label Best Gujhealth. Show all posts

Wednesday, 27 June 2018

કબજીયાત(Constipation) ની તકલીફ ની દૂર કરવા શુ કરવુ જોઇઍ? - Guj Health Guru



                                કબજીયાત(Constipation) ની તકલીફ ની દૂર કરવા શુ કરવુ જોઇઍ?

કબજીયાત Constipationના  લક્ષણો કયા કયા છે?
કબજીયાત Constipationની વ્યાખ્યા તબીબી ભાષમા કઈ છે?
કબજીયાતConstipation ની તકલીફ ની દૂર કરવા શુ કરવુ જોઇઍ?
કબજીયાત ઍટલે નૉર્મલ કરતા ઝાડા નુ ઓછુ થવુ કે પછી તે કઠણ થવો. ઘણા લોકો ને દિવસ મા ૨ થી ૩ વાર જવાની આદત હોય ચેછે તો કેટલાક લોકો ૨થી ૩ દિવસ મા ઍક વખત જતા હોય છે.
સામાન્ય રીતે ૩ દિવસ મા ના જવાય ઍ આરોગ્ય ની દ્રષ્ટિ ઍ યોગ્ય નથી. કારણકે પછી ઝાડો કઠણ થતા અન્ય તકલીફો થવાની સંભાવના રહેલી હોય છે.
કબજીયાત Constipationના લક્ષણો શુ છે?
૧. પેટ મા દુખાવો થવો
૨. ખૂબ ઓછી માત્રા મા ઝાડો પસાર થાય
૩. ૩ થી ૪ દિવસ મા માંડ ઍક્વાર જવાય
૪. ઘણી વાર ઉલ્ટી પણ થાય
૫. ઝાડા મા લોહી ના ટીપા દેખાય
કબજીયાતConstipation થવા પાછળ ના કારણો જોઇઍ
૧. વધુ પડતી કેલ્ષીયમ યુક્ત દવાઓ લેવી
૨. બેઠાડુ જીવન
૩. રેશયુક્ત ખોરાક ના લેવો
૪. વધુ પડતી ઝાડા થાય ઍવી દવાઓ લેવી
૫. ગર્ભવસ્થા
૬. વધુ પડતુ જમવૂ કે બિલકુલ ઓછુ જમવૂ
૭. પાણી ઓછુ પીવુ
૮. રોજીંદા આહાર મા ફેરફાર થવો
૯. અમુક પ્રકારની દવાઓ જેવી કે આઇરન પિલ્સ, દુખાવાની દવાઓ ડિપ્રેશન માટેની દવાઓ
૧૦. માનસિક તણાવ
૧૧. IBS – irritable bowel syndrome
૧૨. ચેતતન્ત્ર ની કોઈ તકલીફ
૧૩. કેન્સર
કબજીયાત Constipation નીવારવા માટે શુ કરી શકાય?
૧. સવારે ઉઠીને ગરમ નવ્શેકુ પાણી પીવુ
૨. ખોરાક મા ફળો અને શાકભાજી નુ પ્રમાણ વધારવુ
૩. દિવસ દરમિયાન ગરમ પ્રવાહી વધુ લેવા.
૪. ત્રિફલા પૉવડર ડોક્ટર ની સલાહ મુજબ લઈ શકાય.
૫. ગરમ દૂધ મા થોડુ ગાયનુ ઘી લઈ શકાય
ડોક્ટર નો સંપર્ક ક્યારે કરવો?
૧. પેટ મા અતીશય દુખાવો થાય અને રહેવાય નહી
૨. બધા જ પ્રયત્નો કરવા છતા પણ કબજીયાત રહેતી હોય.
૩. સાવ જ ઝાડો પસાર ના થાય
૪. ખૂબ વજન મા ઘટાડો થાય
૫. લોહી પડે

Saturday, 23 June 2018

“ચોમાસું ક્યાંક આસપાસ છે...” છીંકો અને શરદીના એટેક... - Guj Health Guru




“ચોમાસું ક્યાંક આસપાસ છે…” છીંકો અને શરદીના એટેક…

Monsoon in Gujarati
વહેમી માનસમાં શુકન – અપશુકનના સરવાળા – બાદબાકી કરાવતી છીંકો વિષેનું વિજ્ઞાન સમજવા જેવું છે.  રોજની ચાલીસ – પચાસ છીંકો આવતીહોય તેવી વર્ષો જૂની શરદી મટાડવા નો આયુર્વેદિક ઉપચાર…
હાક… છીં… હાક… છીં…
એક, બે, ચાર, દસ, બાર છીંકો આવતા ગોપાલભાઈની પત્ની છાયાબેન બારીની બહાર જોવા લાગ્યા. અને બોલી ઉઠ્યા, ‘અરે… આજે તો આટલોતડકો છે અને છતાં તમને છીંકો ચાલુ થઈ ગઈ?’
છીંકોથી પરેશાન ગોપાલભાઈ હસી પડ્યાં. હસતા હસતા બોલ્યા, ‘ચોમાસું ક્યાંક આસપાસ છે…’
અને કલાકમાં તો પવન સાથે વાદળો ખેંચાઈ આવ્યા. આમ ગોપાલભાઈની જેમ વરસાદના એંધાણ ઘણા માણસોને અચાનક શરૂ થઈ ગયેલી છીંકો પરથી વર્તાઈ જાય છે.
Monsoon in Gujarati
છીંક વિષેનું વિજ્ઞાન:
બહારની હવા સાથે પ્રદૂષિત ધુમાડો, ધૂળના રજકણો, સુગંધિત પદાર્થો શ્વાસ દ્વારા નાકની અંદર જાય છે ત્યારે તેમાંના ઉત્તેજક વિજાતીય તત્વોસામાન્ય રીતે નાકની આગળના ભાગમાં આવેલા વાળ અને ચીકાશયુક્ત સ્તરમાં ચીટકી જાય છે. ઉપર્યુક્ત બાહરી તત્વોમાં મહદંશે પાર્થિવ તત્વોરહેલાં હોય છે કે જેને શરીર એ જ સ્વરૂપમાં સ્વીકારતું નથી. સુગંધ પણ પૃથ્વી મહાભૂતનો જ એક સૂક્ષ્મ અંશ છે. સૂક્ષ્માતિસૂક્ષ્મ પાર્થિવ અંશોએટલા હળવા હોય છે કે તેઓ હવા ઉપર આસાનીથી તરી શકે છે અને વાયુ સાથે સંમિશ્રિત થઈને એક હળવું વાદળ રચે છે. આ વાદળ જ્યાં જ્યાંગતિ કરે, પ્રસરે ત્યાં ત્યાં સુગંધ મહેકી ઉઠે છે. સામાન્ય રીતે આ પાર્થિવ અંશોને નાકમાંનું ચીકણું સ્તર આકર્ષી લે છે. અને તેને આગળ વધવા દેતુંનથી. પરંતુ જ્યારે વાયુદોષ તેના રુક્ષગુણથી નાકની આગળના ભાગમાં આવેલા ચીકાશયુક્ત સ્તરને સૂકું (dry) કરી દે ત્યારે હવામાં રહેલા ઉત્તેજકવિજાતીય તત્વો નાકના માર્ગે આગળ વધે છે અને સીધા પહોંચી જાય છે શ્રુંગાટક મર્મ પાસે.
મર્મ:
મર્મ એટલે શરીરનો એવો ભાગ કે જ્યાં થોડી પણ ઇજા મૃત્યુનું કારણ બની શકે છે. અથવા તો એ ભાગના અવયવોનો કર્મક્ષય થાય છે. શ્રુંગાટક મર્મનેઆ બાહરી તત્વનો સ્પર્શ થતાં જ ત્યાંના સંવેદન કેન્દ્રો છંછેડાઈ જાય છે, જેને કારણે તીવ્ર ગતિથી વાયુનો જબરજસ્ત ધક્કો અવાજ સાથે બહારની તરફફેંકાય છે, જેને આપણે છીંક કહીએ છીએ. ઘણીવાર છીંકો સાથે નાક દ્વારા ચીકણું પ્રવાહી છૂટવા માંડે છે. તેનો હેતુ પણ આ જ છે.
કાયમી શરદી:
નવી કે કાયમી જૂની શરદીના ઘણા દર્દીઓને પુષ્કળ છીંકો આવતી હોય છે. સવારે નહાઇને બાથરૂમની બહાર નીકળ્યા પછી કે સાંજના સમયે પચાસ – સાંઠ છીંકોનું ટાઈમટેબલ રોજિંદા ક્રમમાં ગોઠવાય જતું હોય છે. ગળાની હાંસડીના ઉપરના ભાગમાં આવેલી નાક, કાન, આંખ વગેરે ઇન્દ્રિયોનાઅગ્રભાગે, શ્રુંગાટક મર્મ પાસે ખુલતાં હોય છે. આ અગ્રભાગો પર જયારે કફનું આવરણ થાય ત્યારે એ કફના અવરોધને દૂર કરવા માટે વાયુ પ્રકુપિતથઈને બળપૂર્વક તેને છીંકો દ્વારા હટાવવાનો પ્રયત્ન કરે છે. જ્યાં સુધી એ અવરોધ દૂર ન થાય ત્યાં સુધી ઉપરા-ઉપરી છીંકો આવે છે.
Monsoon in Gujarati

Saturday, 9 June 2018

સંધિવા(Gout) એટલે શું? - Guj Health Guru



                                                સંધિવા એટલે શું? What is Gout?


સંધિવા(Gout) એ વા નો પ્રકાર છે જે સાંધામાં યુરિક એસિડના સ્ફટિકો બનવાથી થાય છે. પ્યોરીન જે આપણા આહાર નો ભાગ છે એનું  વિરામ ઉત્પાદન  યુરિક એસિડ છે. યુરિક એસિડ અને સાંધામાં સંયોજનોનું સ્ફટિકીકરણની સંભાળ માં અસાધારણતા ના કારણે પીડાદાયક વા નો હુમલો, કિડનીના પત્થરો, અને કિડનીની ફિલ્ટરિંગ નળીઓમાં યુરિક એસિડ સ્ફટિકો સાથે અવરોધો, જે આખરે કિડની ફેલ્યર તરફ લઇ જાય છે.સંધિવાની ખાસ વિશિષ્ટતા એ છે કે તે તબીબી માંદગીના ઇતિહાસમાં સૌથી વધારે નોંધાયેલી બીમારીઓ પૈકી એક છે.
સંધિવા ના લક્ષણો
અસરગ્રસ્ત સાંધા માં ઝડપી હુમલા ની પીડા, ગરમી, સોજો, લાલ રંગ ની વિકૃતિકરણ અને માર્મિકતાના  દ્વારા તીવ્ર સંધિવા હુમલા ની લાક્ષણિકતા દર્શાવે છે. હુમલા માટે સૌથી સામાન્ય જગ્યા મોટો અંગુઠો ના નીચેનો ભાગ છે .અન્ય સાંધા જેને અસર થઈ શકે છે તેમાં પગથિયા, ઘૂંટણ, કાંડા, આંગળીઓ અને કોણીનો સમાવેશ થાય છે. અમુક લોગોમાં પીડા એટલી વધારે હોય છે કે જો એમના અંગુઠા ને ચાદર પણ અડી જાય તો પીડા એકદમ તીવ્ર બની જાય છે. દવા સાથે કે દવા વગર હુમલા ની આ પીડા ધીમે ધીમે કલાકો અથવા દિવસોમાં ઓછી થઇ જાય છે. બહુ ઓછા કિસ્સાઓમાં, હુમલા અઠવાડિયા માટે રહે છે. સંધિવાવાળા મોટા ભાગના લોગો વર્ષો સુધી આ બધુ અનુભવ કરશે.
Gout ના જોખમી પરિબળો
સંધિવા માટે સ્થૂળતા, અતિશય વજન, ખાસ કરીને યુવાનોમાં, મધ્યમથી લઈને વધારે આલ્કોહોલ લેવો, હાઈ બ્લડ પ્રેશર, અને અસામાન્ય કિડની કાર્ય જેવા પરિબળો  જવાબદાર છે.અમુક દવાઓ અને બીમારીઓ કારણે યુરિક એસિડ નું સ્તર વધી શકે છે. સંધિવા થી પીડાતા દર્દીઓ માં અસાધારણ રીતે થાઇરોઇડ હોર્મોન (હાયપોથાઇરોડિઝમ) નું સ્તર નીચે જવાની શક્યતા વધી જાય છે.
સંધિવા/ Gout નું નિદાન- Diagnosis
જ્યારે દર્દી પીડાદાયક વા ના વારંવારના હુમલાનો ઇતિહાસ દર્શાવે છે, ખાસ કરીને અંગૂઠાના તળિયે અથવા પગ ની ઘૂટી અને ઘૂંટણમાં ત્યારે સંધિવા થયું છે એમ માનવામાં આવે છે. સાંધા મહાપ્રાણ દ્વારા મેળવવામાં આવેલા સાંધા પ્રવાહી(synovial Fluid)માં યુરિક એસિડ સ્ફટિકોનું નિદાન એ સંધિવા માટેનું સૌથી વિશ્વસનીય પરીક્ષણ છે. આ સામાન્ય  પ્રક્રિયા સ્થાનિક નિશ્ચેત(local anesthesia) ના સાથે કરવામાં આવે છે. જંતુરહિત તકનીકનો ઉપયોગ કરીને, સાંધાના સોજા માંથી સિરીંજ અને નીડલ દ્વારા પ્રવાહી (એસ્પિરેટેડ) લેવામાં આવે છે.
એકવાર સાંધાનું પ્રવાહી મળી જાય, તો યુરિક એસિડ સ્ફટિકો અને ચેપ માટે વિશ્લેષણ કરવામાં આવે છે.  તમારા ડૉક્ટર રક્તમાં યુરિક એસિડની માત્રા માપવા માટે રક્ત પરીક્ષણ(blood test) પણ કરી શકે છે.
સંધિવા ના હુમલા- Gout Attacks કેવી રીતે અટકાવવા?
પર્યાપ્ત પ્રવાહી લેવાથી તીવ્ર સંધિવા ના હુમલાને રોકવામાં મદદ મળે છે અને સંધિવાવાળા  લોકોમાં કિડની પથ્થરની રચનાનું જોખમ ઘટાડે છે. આલ્કોહોલ માં  મૂત્રવર્ધક પદાર્થ અસરો  હોવાનું કહેવાય છે જે નિર્જલીકરણમાં ફાળો આપી શકે છે અને તીવ્ર સંધિવાના હુમલાને અવક્ષય કરી શકે છે. આલ્કોહોલ યુરિક એસીડના ચયાપચય ને  અસર કરે છે અને હાયપરયુરીકેમિઆ નું કારણ બને છે. તે કિડનીમાંથી યુરીક એસીડના વિસર્જનને ઘટાડીને અને નિર્જલીકરણ નું કારણ બને છે, જે સાંધામાં સ્ફટિકો નું ઉપદ્રવ કરે છે.
આહારમાં બદલાવ રક્તમાં યુરિક એસિડ ના સ્તરને ઘટાડવામાં મદદ કરશે. પ્યુરીન યુક્ત આહારને ટાળવો જોઈએ કારણ કે પ્યુરીન કેમિકલ્સ શરીરમાં યુરિક એસિડમાં રૂપાંતરિત થાય છે. શેલફિશ અને અંગ માંસ જેમ કે યકૃત, મગજ અને કિડની પ્યુરિન યુક્ત  આહારમાં સમાવેશ થાય છે. સંશોધકોએ નોંધ્યું છે કે માંસ અથવા સીફૂડના વપરાશમાં સંધિવા હુમલાનું જોખમ વધારે  છે, જ્યારે ડેરી વપરાશ આ જોખમને ઘટાડતું હોય એમ લાગે છે. વજન ઓછો કરવાથી સંધિવા ના વારંવાર હુમલાઓના જોખમને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.
સંધિવાની સારવાર દવાઓ સાથે
કેટલીક બળતરા વિરોધી દવાઓ (આઇબુપ્રોફેન અને અન્ય), કોલ્ચેસીન, અને કોર્ટીકોસ્ટેરોઈડ્સ સંધિવા ના હુમલા અને બળતરા ઘટાડે છે.
અન્ય દવાઓ રક્તમાં યુરિક એસીડના સ્તરમાં ઘટાડો કરે છે અને સાંધાઓ  (સંધિવા વા ), કિડની (પત્થરો) અને પેશીઓ (ટોફી) માં યુરીક એસીડની જમા થતા અટકાવે છે,અને વધુ હુમલા અને ગૂંચવણો અટકાવવા માટે મદદ કરે છે.
આ દવાઓમાં એલોપોરીનોલ, ફેબક્સોસ્ટેટ, લેસિનરાડ અને પ્રોબેનેસીડેશનનો સમાવેશ થાય છે.
Research on Gout/ સંધિવા
સંધિવા અને હાયપરયુરીસીમિયા સંબંધિત વિવિધ ક્ષેત્રોમાં સક્રિય સંશોધન ચાલુ છે.
વૈજ્ઞાનિકોએ શોધ્યું છે કે ઉચ્ચ પશુ પ્રોટીન- Animal Proteinથી સંધિવા જોખમમાં વધારો થયો છે. નવી દવાઓ વિકસાવવામાં આવી રહી છે જે ગંભીર સંધિવાવાળા દર્દીઓમાં ઉચ્ચ યુરિક એસીડના સ્તરોના ઉપચારમાં વધુ સર્વતોમુખી અને સુરક્ષિત હોઈ શકે છે.
સંધિવા(Gout) એટલે શું?

Wednesday, 16 May 2018

ચહેરા ની સુંદરતા વધારવાના ઉપાયો - Guj Health Guru



                                                     ચહેરા ની સુંદરતા વધારવાના ઉપાયો

પ્રાચીન વિજ્ઞાનીઓએ માત્ર શરીરનું સ્વાસ્થ્ય સુધારવાના માત્ર ઉપચારો જ નહિ, પરંતુ તેને કેવી રીતે સુંદર રાખી શકાય એ માટેના પ્રયોગો કર્યા હતા…

આપણી ભારતીય હિંદુ સંસ્કૃતિનાં ચાર મુખ્ય વેદો છે. તેમાં આયુર્વેદને અથર્વવેદનો ઉપવેદ માનવામાં આવે છે.

અથર્વવેદ:

અથર્વવેદમાં ઘણી ઔષધિઓ અને ઘણા રોગો વિષેના વર્ણનો અને તેના ઉપચારો જોવા મળે છે.

અથર્વવેદના એક વર્ણન પ્રમાણે જમદગ્નિ નામના ઋષિએ તેમની દીકરીના ટૂંકા વાળનો ઉપચાર કર્યો હતો.  જમદગ્નિ ઋષિની દીકરીના માત્ર  ‘દ્વય અંગુલ’ એટલે કે માત્ર બે આંગળ જેટલા જ હતા. પરંતુ કેટલીકવનસ્પતિઓના રસનું સિંચન માથામાં કરીને એ બે આંગળ જેટલા વાળને ‘વ્યામ’ એટલે કે લગભગ ત્રણેક ફૂટ જેટલા લાંબા કર્યા હતા.

આમ, વેદકાલિન સંહિતાઓમાં શરીરના સ્વાસ્થ્યની સાથે સાથે શારીરિક સૌંદર્ય વધારવાના ઘણા ઉપચારો જોવા મળે છે. જેમકે,

આંખ નીચેના કાળા કુંડાળા:

આંખ નીચેના કાળા કુંડાળાની સમસ્યા દિનપ્રતિદિન વધતી જાય છે. આવી રીતના કાળા કુંડાળા થવા પાછળનાં ઘણાં કારણો છે. એમાં ખાસ કરીને સ્ત્રીઓને શરીર ધોવાવું અને લોહીની ઓછપ વધારે કારણરૂપ હોયછે. એક સર્વેક્ષણ અનુસાર ભારતની ૯૦ ટકા સ્ત્રીઓ લોહીની ઓછપ (એનિમિયા) થી પીડાય છે. પૂરતા પોષક આહારનો અભાવ મુખ્ય કારણ છે.

એનીમિક સ્ત્રીઓને પગની પીંડીમાં કળતર, અશક્તિ, થાક, અંધારા કે ચક્કર આવવા, વાળ ખરી જવા વગેરે લક્ષણો એક સાથે અથવા વધતા ઓછા પ્રમાણમાં જોવા મળે છે.

આ ઉપરાંત, આંખ નીચેના કાળા કુંડાળા થવા પાછળના અન્ય કારણોમાં ઉજાગરા, હતાશા, ડિપ્રેશન અને જાતિય સુખની અતૃપ્તિ પણ હોય છે.

સારવાર:

લોહાસવ અને દ્રાક્ષાસવમાંથી બે-બે ચમચી દવા લઈ, તેમાં એટલું જ પાણી ઉમેરીને બે ટાઈમ જમ્યા પછી લેવું. આનાથી ભૂખ સારી લાગશે અને રક્તકણોનો ક્રમશઃ વધારો થતાં આંખના કુંડાળા ઘટશે.

શિયાળાની સિઝનમાં આમળાનો રસ એક ચમચી પીવાનો રાખવો.

ખીલ પછીના ખાડા અને કાળા દાગ:

ખીલની ફોડલીને દબાવવાથી એની અંદરથી  સફેદ કણી  જેવો પદાર્થ નીકળી જતો હોય છે. જેનાથી ખીલ મટી જાય છે અથવાતો વધારે પ્રમાણમાં વકરે છે. આ રીતે કરવાથી ઘણીવાર ખીલની જગ્યાએ ખાડો પડી જાયછે. આમ, વધારે વાર બનવાથી ચેહરાની કોમળ-કોમળ ત્વચા તેની સુંદરતા ગુમાવીને ઊંચી-નીચી થઈ જાય છે. ફોડલીને વધારે દબાવવાથી એ ભાગની સૂક્ષ્મવાહિનીઓ તૂટી જાય છે. એમાંથી રક્તનો સ્રાવ થાય છે.એમાંનું કેટલુંક લોહી છિદ્ર વાટે બહાર નીકળે છે. અને કેટલુંક ચામડીના પણ નીચે પ્રસરે છે, જે સમયાંતરે કાળું પડી જઈ ત્યાં કાળો દાગ થઈ જાય છે.

ચહેરા પરની કાળાશ:

આચાર્ય ચરક આ સમસ્યા માટેની આંતરિક પ્રક્રિયા વર્ણવતા કહે છે કે જેનું પ્રકુપિત થયેલું પિત્ત રક્તને મળીને સૂકાઈ જાય છે, એને કોઈ પ્રકારની વેદના વગરના કાળા દાગ થાય છે.

ચહેરા પરના કાળા દાગ તાપમાં વધારે ફરવાથી, માસિક મોડું આવે તો, અને માસિકની અનિયમિતતાથી વધતા હોય છે.

અકાળે કરચલીઓ (Wrinkles):

ચામડી પર નાની ઉંમરે કરચલીઓ પડી જતી હોય છે, જે સૌંદર્યની બાધક છે.

કુમકુમાદિ તેલ:

કુમકુમ એટલે કેસર જેમાં મુખ્ય ઔષધ છે તેવું કુમકુમાદિ તેલ. આંખ નીચેના કાળા કુંડાળા, ખીલ પછીના કાળા દાગ, ચહેરા પરની કાળાશ ઉપરાંત ચામડી પર પડતી કરચલીઓ આ તેલનું હળવા હાથે રોજ માલિશકરવાથી દૂર થાય છે.

કેટલાક લેપ:

વડના અંકુરને મસૂરની દાળ સાથે વાટી લેપ કરવાથી ચહેરા પરની કાળાશ દૂર થાય છે.

અર્જુન ચૂર્ણને દૂધ સાથે લસોટીને રોજ તેનો લેપ કરવામાં આવે તો ચહેરો ઉજળો અને ત્વચા ચમકીલી બને છે.

સૌંદર્યવર્ધક સૂચનો:

જેને કારણે સૌંદર્યમાં બાધા આવે છે જેવા કારણોથી દૂર રહેવાથી સુંદરતા વધે છે અને દીપી ઉઠે છે. જેમકે,

ઉજાગરા ન કરવા. યુવાવસ્થામાં કરેલા ઉજાગરા ઝડપથી ઉંમર વધારનારા ચિન્હોને પ્રગટ કરે છે. દિવસે ઊંઘવું નહીં.
રાત્રે મોડા ના જમવું. જમ્યા પછી વારંવાર ના ખાવું.
તાજો, સાત્વિક અને તમારી પ્રકૃતિને અનુકૂળ આવે તે ખોરાક ખાવાનો આગ્રહ રાખવો.
ઋતુ પ્રમાણેનાં જ ફળો ખાવા.
જમવામાં તલનું તેલ અને ગાયનું ઘી શ્રેષ્ઠ સ્નેહ-ચરબી છે.

Thursday, 10 May 2018

બાળકો અને કાનના infection માટે માર્ગદર્શન - Guj Health Guru


 બાળકો અને કાનના infection માટે માર્ગદર્શન


બાળકો અને કાનના infection માટે માર્ગદર્શન વાંચવું- આવશ્યક છે.
ડોકટર, મને લાગે છે કે મારા બાળકને કાનનો ચેપ(ear Infection) છે!” હું દરરોજ મારી પ્રેક્ટિસમાં આ સાંભળું છું, કારણ કે કાનનો ચેપ એ  પીડાદાયક છે, હું એ મારો પુષ્કળ સમય એ સમજાવામાં ખર્ચ કર્યો છે કે તેમને રોકવા માટે શું કરી શકાય છે.
શું કામ કાનનો ચેપ(ear Infection) શિશુઓમાં સામાન્ય છે?
ચાલો મધ્ય કાન(Middle Ear)ની અંદર એ જોવા માટે કે કેવી રીતે જંતુઓ અને કાનના સૂક્ષ્મ ભાગો વારંવાર આવા સંપર્ક કરે છે. કેનાલ જેને ઇસ્ટાચિયન ટ્યુબ(eustachian tube) તરીકે ઓળખાય છે જે ગળાના પાછળના ભાગને  મધ્ય કાન સાથે જોડે છે અને દબાણને સરખુ કરવા માટે મદદ કરે છે.ગળા સાથે નાક નો અમુક ભાગ પણ ભેજ્વાળો હોવાથી બૅક્ટીરિયા ને વિકસવા માટે મદદરુપબને છે.પરંતુ શિશુની ઇસ્ટાચિયન ટ્યુબ (eustachian tube)ટુંકી, પહોળી અને આડી હોવાથી, ગળા અને નાકના  સ્ત્રાવમાં –આશ્રય લીધેલા જંતુઓ – ખુબ આસાનીથી મુસાફરી કરી શકે છે. પોલાણમાં રહેલુ પ્રવાહી (જેમ કે મધ્ય કાન) જંતુઓના વિકાસનું માધ્યમ બને છે, તેથી વારંવાર નાનાં બાળકોમાં કાનનો ચેપ (ear Infection)જોવા મળે છે.
કેમ કાનના ચેપ(Ear Infection) ને યોગ્ય રીતે સારવાર કરાવવું મહત્વનું છે?
તમારા બાળકનું સાંભળવું કાનના પડદાનું યોગ્ય સ્પંદન અને મધ્યમના માળખાં પર આધાર રાખે છે. વારંવાર ચેપથી કાનના પડદાને નુકશાન થઇ શકે છે, જયારે પુનરાવર્તિત પ્રવાહી સંચયથી સ્પંદનો ભાંગી જાય છે, જે સાંભળવામાં દખલ કરી શકે છે. એટલા માટે કાનના ચેપને ગંભીરતાથી લેવું અનિવાર્ય છે, ખાસ કરીને જ્યારે તમારું બાળક વાત કરતા શીખતું  હોય. સામયિક સાંભળવાના નુકશાનથી બોલવામાં વિલંબ અથવા ભાષાની સમસ્યાઓ પણ થઇ શકે છે જે પાછળથી તેની શાળા કાર્યને અસર કરી શકે છે.
કાનના ચેપ (Ear Infection)ને કેવી રીતે ઓળખી શકાય?

Thursday, 3 May 2018

યૌનપથની તીવ્ર ખંજવાળ... સ્ત્રીઓને મુંઝવતું વિશિષ્ટ દર્દ... - Guj Health Guru



                                યૌનપથની તીવ્ર ખંજવાળ… સ્ત્રીઓને મુંઝવતું વિશિષ્ટ દર્દ…


યૌનપથની તીવ્ર ખંજવાળ(white discharge)… સ્ત્રીઓને મુંઝવતું વિશિષ્ટ દર્દ…

યોનિની અંખર તીવ્ર ખંજવાળ આવે છે, ત્યારે સ્ત્રીની મૂંઝવણ ખૂબ વધી જાય છે. તેની આ પ્રકારની સમસ્યા તે કોઈને કહી શકતી નથી. ખૂબ શરમ પણ અનુભવે છે. બહાર જવાનું પણ ટાળે છે.

આવી સમસ્યાથી પીડાતી સ્ત્રીઓએ મુંઝાવાની કે શરમ અનુભવવાની જરૂર નથી. શરીરમાં જેમ શરદી, માથાનો દુખાવો કે અન્ય દર્દો થતાં હોય છે, તેમ આ પણ એક પ્રકારનું શારીરિક દર્દ છે. ઉપર્યુક્ત દર્દ વિષે જેમ આપણે શરમ કે મૂંઝવણ અનુભવવાના નથી, એમ આ દર્દ વિષે પણ ચિકિત્સક પાસે જઈ વાત કરવી જોઈએ.

Wednesday, 28 March 2018

આ અલ્ઝાઇમર શું છે? - Guj Health Guru



   આ અલ્ઝાઇમર શું છે?

આ અલ્ઝાઇમર/Alzheimer શું છે?


અલ્ઝાઇમર ફાઉન્ડેશન ઓફ અમેરિકાના મેમ્બર ડૉ. જ્યોર્જ પેરે (Dr. George Perez) જે ન્યુરોસાયન્ટિસ્ટ છે, તે કહે છે કે જો વધતી ઉંમર સાથે તમારી યાદશક્તિ ઘટતી જતી હોય તો એને અલ્ઝાઇમર ના માની બેસશો.

તારીખ 21/09/2015:
તારીખ 21મી સપ્ટેમ્બર વિશ્વમાં બે રીતે પ્રખ્યાત છે. એક તો ઇન્ટરનેશનલ ડે ઓફ પીસ (International Day of Peace)  અને  (World Alzheimer’s Day) વર્લ્ડ અલ્ઝાઇમર્સ ડે.

World Alzheimer’s Day:
આવતીકાલે ૨૧મી સપ્ટેમ્બરના અલ્ઝાઇમર્સ ડેના નિમિત્તે એના વિશે વાત કરીશું.

તમને જાણીને આશ્ચર્ય થશે કે વિશ્વમાં મૃત્યુના જે કારણો છે, તેમાં  અલ્ઝાઇમર આઠમા ક્રમે છે.

એક સર્વેક્ષણ પ્રમાણે હાલ વિશ્વમાં  ૪૬.૮ મિલિયન લોકો અલ્ઝાઇમર થી ગ્રસ્ત છે. ભારત, ચીન જેવા વિકસતા દેશોમાં આ ઝડપથી પ્રસરી રહ્યો છે.

આ અલ્ઝાઇમર/ Alzheimer શું છે?
1906 માં એલોઈસ અલ્ઝાઇમર (AloisAlzheimer) નામના જર્મન સાઇકિયાટ્રિસ્ટ અને પેથોલોજીસ્ટે સહુપ્રથમ આ રોગનું વર્ણન કરેલું છે. તેના પરથી આ રોગને અલ્ઝાઇમર ડિસીઝ (Alzheimer Disease – AD) કહેવામાં આવે છે.

મુખ્ય ચિન્હો:Alzheimer
યાદશક્તિ ઘટતી  જવી.