કબજીયાત(Constipation) ની તકલીફ ની દૂર કરવા શુ કરવુ જોઇઍ?
કબજીયાત Constipationના લક્ષણો કયા કયા છે?
કબજીયાત Constipationની વ્યાખ્યા તબીબી ભાષમા કઈ છે?
કબજીયાતConstipation ની તકલીફ ની દૂર કરવા શુ કરવુ જોઇઍ?
કબજીયાત ઍટલે નૉર્મલ કરતા ઝાડા નુ ઓછુ થવુ કે પછી તે કઠણ થવો. ઘણા લોકો ને દિવસ મા ૨ થી ૩ વાર જવાની આદત હોય ચેછે તો કેટલાક લોકો ૨થી ૩ દિવસ મા ઍક વખત જતા હોય છે.
સામાન્ય રીતે ૩ દિવસ મા ના જવાય ઍ આરોગ્ય ની દ્રષ્ટિ ઍ યોગ્ય નથી. કારણકે પછી ઝાડો કઠણ થતા અન્ય તકલીફો થવાની સંભાવના રહેલી હોય છે.
કબજીયાત Constipationના લક્ષણો શુ છે?
૧. પેટ મા દુખાવો થવો
૨. ખૂબ ઓછી માત્રા મા ઝાડો પસાર થાય
૩. ૩ થી ૪ દિવસ મા માંડ ઍક્વાર જવાય
૪. ઘણી વાર ઉલ્ટી પણ થાય
૫. ઝાડા મા લોહી ના ટીપા દેખાય
કબજીયાતConstipation થવા પાછળ ના કારણો જોઇઍ
૧. વધુ પડતી કેલ્ષીયમ યુક્ત દવાઓ લેવી
૨. બેઠાડુ જીવન
૩. રેશયુક્ત ખોરાક ના લેવો
૪. વધુ પડતી ઝાડા થાય ઍવી દવાઓ લેવી
૫. ગર્ભવસ્થા
૬. વધુ પડતુ જમવૂ કે બિલકુલ ઓછુ જમવૂ
૭. પાણી ઓછુ પીવુ
૮. રોજીંદા આહાર મા ફેરફાર થવો
૯. અમુક પ્રકારની દવાઓ જેવી કે આઇરન પિલ્સ, દુખાવાની દવાઓ ડિપ્રેશન માટેની દવાઓ
૧૦. માનસિક તણાવ
૧૧. IBS – irritable bowel syndrome
૧૨. ચેતતન્ત્ર ની કોઈ તકલીફ
૧૩. કેન્સર
કબજીયાત Constipation નીવારવા માટે શુ કરી શકાય?
૧. સવારે ઉઠીને ગરમ નવ્શેકુ પાણી પીવુ
૨. ખોરાક મા ફળો અને શાકભાજી નુ પ્રમાણ વધારવુ
૩. દિવસ દરમિયાન ગરમ પ્રવાહી વધુ લેવા.
૪. ત્રિફલા પૉવડર ડોક્ટર ની સલાહ મુજબ લઈ શકાય.
૫. ગરમ દૂધ મા થોડુ ગાયનુ ઘી લઈ શકાય
ડોક્ટર નો સંપર્ક ક્યારે કરવો?
૧. પેટ મા અતીશય દુખાવો થાય અને રહેવાય નહી
૨. બધા જ પ્રયત્નો કરવા છતા પણ કબજીયાત રહેતી હોય.
૩. સાવ જ ઝાડો પસાર ના થાય
૪. ખૂબ વજન મા ઘટાડો થાય
૫. લોહી પડે
No comments:
Post a Comment